સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ
શ્રીનાથે પેપ્સીની બોટલ કુમ્બલેને આપી; પણ કુમ્બલેએ સહેવાગને આપી દીધી.
પ્રશ્ન
શા માટે?
સાચો જવાબ
સહેવાગ ઓપનિંગ બેટ્સમેન છે, એટલે બોટલ પણ તેણે જ ઓપન કરવાની.
સાચો જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌનો આભાર.)
- હેતલ
- રજનીકાન્ત શાહ
- મૃગરાજ
- અશોક મોઢવાડિયા
(ઈ સંધુય તો ઠીક, પણ અમોને આમ હિરોઈનુ ગોતવા મોકલી દીધો ને વાંહેથી આંયા ’હુંશિયારી કસોટીયુ’ ચાલુ કરી દીધી ઈ હુંશિયારી નહિ ચાલે ! 🙂 )
હવે હિરોઈનો ક્યારે બતાવો છો? ન્યાં કણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે – આતા ખાસ !
અન્ય જવાબો
- મનસુખલાલ ગાંધી
કુમ્બલે અને શ્રીનાથ રમતાં હશે અને સેહવાગ ૧૨મો ખેલાડી હશે અને મેદાનમાં બોટલ આપવા આવ્યો હશે અને કુંબલેએ પી લીધા પછી ખાલી બોટલ પછી આપી હશે.
- વિનોદ પટેલ
શ્રી નાથે પેપ્સીની બોટલમાંથી પહેલા થોડું પી લઈને કુંબલેને એ બોટલ સહવાગને આપવાની કહી હશે .
- હીતેશ સંઘવી
કારણકે, કુમ્બલેને ઠંડીની એલર્જી છે.
- ધીરજલાલ વૈદ્ય
હસ્તાન્તરણ વાળી પેપ્સીની એ બૉટલ, “ઘોર-ખોદિયા યોગ” વાળી હતી/છે. એટલે શ્રીનાથના હાથમાં આવતાં જ શ્રીનાથ….શ્રીનાથજી બની ગયાં, કુંબલેના હાથમાં આવતાં કુમ્બલે…કુમ્બલેજી બની ગયાં; એટલે કુમ્બલેજીએ એ “પરદાગીર”…….. પેપ્સી બૉટલ સહેવાગને પધરાવી દીધી……હવે જોઇએ . સહેવાગને એ “પનોતી” એ શનિની પનોતી ભજવે છે કે ઇંન્દ્રની પનોતી ભેટ નિવડે છે……..?!?!?!
વાચકોની ગોલંદાજી!