હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નમોને તમાચો

ગુજરાતે દસ વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે .

– ન.મો. ઉવાચ

એકદમ ખોટી વાત.

માત્ર ૬ લાખની વસ્તી વાળા સિક્કિમે કરેલી પ્રગતિ…

  • ગરીબી હટી
    • ૨૦૦૪  –  ૩૦.૫ %
    • ૨૦૧૨ – ૮.૨ %
  • શિક્ષણ વધ્યું
    • ૨૦૦૧ – ૬૮.૮ %
    • ૨૦૧૨ – ૮૨.૨ %
  • ૧૦૦ % શૌચાલયો.

આખો રિપોર્ટ આ રહ્યો .

સાભાર – ડો. કનક રાવળ

4 responses to “નમોને તમાચો

  1. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. જૂન 1, 2015 પર 12:24 એ એમ (am)

    રીપોર્ટ બીજે ક્યાંય નહીં ને Times Of India માં છપાયો….!!!! વાહ..વાહ.. શરદભાઇની વાત સાચી છે, સિક્કિમની ૬ લાખની વસ્તી, ગુજરાતની ૬ કરોડની વસ્તી અને ભારતની ૧૨૫ કરોડની વસ્તી—– આ બધાની એકસરખી સરખામણી ન થાય…!! આવડું અમથું “નાનું” રાજ્ય અને તે છતાંયતે, ૧૦૦% ગરીબી નથી હટી કે નથી થયું ૧૦૦% શિક્ષણ….

    Like

  2. Sharad Shah મે 31, 2015 પર 7:24 એ એમ (am)

    હેડીંગ સોનિયા ગાંધીએ લખ્યું લાગે છે. ભારતમાં લીટરેટ એને ગણવામાં આવે છે જેને પોતાનુ નામ લખતાં કે સહી કરતાં આવડતું હોય. લીટરસીની આવી વ્યાખ્યાઆ, ને તેને આધારિત આંકડાઓ….??,,,??? એવી જ વ્યાખ્યા ગરીબઈરેખા હેઠળ જીવતાં લોકોની છે. આજથી છ વર્ષ પહેલાં જે કુટુંબની આવક વાર્ષિક ૨૫૦૦ રુપિયા હોય તે ગરીબી રેખા હેઠળ ગણાતા. આજે આ લિમિટ વધારવામાં આવી છે. આજે ભિખારી પણ રોજના ઓછામાં ઓછા રુપિયા ૧૦૦ કમાતા હોય છે. નવાઈની વાત એ છે કે ભારત સરકારની અનેક યોજનાઓ ગરીબીની સિમા હેઠળ જીવતા લોકોના લાભાર્થે ચાલે છે. અને જેટલાં લોકોને સરકારે ગરીબી રેખાની નીચે ગણી સર્ટીફાય કરેલાં છે તેમાના ૯૦% ઉપરના નામો રાજકિય નેતાઓની ભલામણોથી લખવામાં આવ્યા છે. મેં અનેક સરકારી યોજના પર કામ કરેલ છે અને આ મારા અનુભવે કહું છું. અહીં દરેક સરકારી યોજનાઓનો સૌથી વધુ લાભ રાજકિય નેતાઓને જ મળે છે. પછી જે સત્તામાં હોય. આદિવાસી યોજનાઓ, ગરીબી રેખા હેઠળની યોજનાઓ, ખેડુત માટેની યોજનાઓ, દલિતો માટેની યોજનાઓ, કે અન્ય યોજનાઓ પાછળ દેશનુ ઘણુ બધું ધન ખર્ચાયું છે અને તેનો મુશ્કેલીથી ૧૦% લાભ લોકોને મળેલ છે. બાકીનુ બધું ધન રાજકારિણીયોના હિતમાં વપરાયું છે તે હકિકત છે. વિદેશમાં વસતા લોકોને અહીંની વાસ્તવિકતાની બહુ ઓછી ખબર હોય છે અને વાસ્તવિકતા જાણ્યા વગર મત ધરાવતા હોય છે. ગુજરાત અને સિક્કિમની તુલના જ યોગ્ય નથી. તુલના કરો તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી જેવી દશા છે. ગુજરાત રાજા ભોજ અને સિક્કિમ ગંગુ તેલી લાગ્યા વગર ન રહે. બન્ને પ્રદેશોમાં ફરી આવો એટલે સમજાઈ જશે. હા, કુદરતી સૌંદર્યની વાત કરતાં હોૂય તો સિક્કિમ હિમાલયનો ભાગ છે અને અદભુત સૌંદર્યથી ભરપુર છે. આવા રિપોર્ટો લોકોને ભ્રમિત કરતાં હોય છે. અને મોદી વિરોધીઓ કહો કે કોંગ્રેસ રાજમાં લુંટના ભાગિદારો હવે લુંટમાં ભાગ મળતો બંધ થતાં જાત જાત ના સર્વે કરાવી રિપોર્ટો બહાર પાડે છે.

    Like

  3. kirit મે 30, 2015 પર 5:11 પી એમ(pm)

    I visit Sikkim in Jan 2015, and it was terrible, roads were so bad, it took us 12 hours to travel 70km,
    Very poor state, Property prices are very high, most can not effort

    Like

  4. Vinod R. Patel મે 30, 2015 પર 11:21 એ એમ (am)

    ભારત આઝાદ થયું ત્યારથી દેશમાંથી ગરીબી હટાવોની વાતો રાજકીય નેતાઓ કરી રહ્યા છે. નેતાઓ તવંગર થયા છે જ્યારે આમ પ્રજા ગરીબીની ઇન્દ્ર જાળમાં ફસાએલી જ રહે છે. ગરીબી હટતી નથી , ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ પહોળી થઇ રહી છે. ગરીબી હટાવવાની વાતો એ નેતાઓ માટે ફક્ત ચુંટણી જીતવાનું એક એક સરસ સાધન બની ગયું છે. મુઠીભર માણસો માટે અચ્છે દિન દેખાય છે જ્યારે બહુમતી જન સંખ્યા માટે હજુ એ એક સ્વપ્ન છે . એક મધ લાળ છે.

    Like

Leave a reply to kirit જવાબ રદ કરો