અજબ સવાલ

જૂનાગઢી સાવજ સવાલ પૂછે; અને કાશિંગા/ એરિઝોનાનો સાવજ રહી જાય?

હવે હિમ્મતલાલ જોશી – હંધાયના ‘આતા’- મેદાનમાં આવી ગયા છે; અને પૂછે છે?

છે કોઈ માઈનો પૂત કે, ભારે નારિયેળ ગોતી દે?  

આ રહ્યો….. ‘આતાપ્રશ્ન’

પાંડવ વનવાસ ભોગવતા હતા .ત્યારે ભીમે  નાળિયેલી માંથી ૯ નારીયલ  ખંખેર્યા. બધા નારીયલ સરખા વજનનાં  હતાં. પણ એક નાળિયેર વધુ વજનનું  હતું   આ વધુ વજન નું નાળિયેર તમે બે વખત વજન કરીને ગોતી આપો .

જવાબ અંગ્રેજીમાં હાલશે!

અને ફકર નો કરતા. આતા બંધૂકના ભડાકે ઊડાડી નૈ દે !

સાચો જવાબ ……  આવતી કાલે. ( જો આતા મને ઈમેલથી જણાવે તો; નહીં તો આપણા હાથ તો ઊંચા જ છે – હાદજન મૂવો છું ને? !

અલબત્ત કોમેન્ટ બંધ છે.

 

Comments are closed.