-આવતીકાલ માટે તમે આકુળવ્યાકુળ થશો નહીં..તમે સહી શકો એટલી વ્યાકુળતા એની સાથે આવવાની જ છે.!
-કોઇ બાબત રસિક નથી હોતી..જો તમને તેમાં રસ ન પડે તો…
-જયાં મગજ સાવ ખાલી હોય ત્યાં ખરાબ વિચારોને ઘૂસી જવા માટે બહું મોકળુ મેદાન મળી રહે છે.
-‘આગ આગ ‘ શબ્દ કાને પડે કે ઘર ખાલી થઇ જાય. ..’સેલ સેલ’ શબ્દ કાને પડે ત્યારે ઘર ભરાઇ જાય.!
-જે રમૂજો આપણે હેતુપૂર્વક કરતાં હોઇએ છીએ, તેવી રમૂજો રાજકારણીઓથી અનાયાસે થઇ જતી હોય છે.
-આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!
-જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.
-જયારે કશું ખાવાનું ન હોય ત્યારે એક વાત બને છે..: તમારું મગજ બીજી ચિંતાઓથી મુકત થઇ જાય છે.
-ખાનદાન તરીકે જન્મવું એ એક અકસ્માત છે. પણ તેવા મરવું એ એક સિધ્ધિ…!
-તમને પારકે ભાણે લાડુ મોટો દેખાતો હોય તો, એને પચાવવાની ચિંતા પણ એને જ કરવા દો..!
Thanks : આજની ખાટી મીઠી |Neelam Doshi
Sure God created man before woman.
But then you always make a rough draft before the final masterpiece.
——————————————-
એમ કહેવાય છે કે, ઈશ્વરે સ્ત્રી કરતાં પહેલાં પુરુશને સર્જ્યો.
ઉત્તમ ક્રુતી બનાવતાં પહેલાં પ્રોટોટાઈપ બનાવવી પડતી હોય છે ને? !!