(નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)
દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઈ માણે રે,
પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભીમાની રે.
સકળ લોકમાં સૌને નીંદે ને સ્તુતી ન કરે કોઈની રે,
વાચ કાછ મન સદા મલીન જ રાખે, કરમફુટી જેની જનની રે.
કુદ્રશ્ટી ને ત્રુષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે.
જીહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.
મોહ માયામાં ડુબેલો રહે છે, વૈરાગ્ય ના મળે જેના મનમાં રે.
રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદા છેટો રે.
પુરો લોભી ને કપટ સહીત છે, કામક્રોધ સદાના સંગી રે,
ભણે ભગત તેનું દરસન કરતાં કુળ ઈકોતેર ડુબ્યા રે.
- ગોપાલ પરીખ
4 responses so far ↓
Rajendra Trivedi, M.D. // October 3, 2007 at 7:14 am
LIFE OF MANY ON THE EARTH !
REAL EYE OPENER AND EDUCATIONAL.
SAY….YHA….YHA…..
Pinki // October 3, 2007 at 10:31 am
really real song ………
પ્રતીક : Pratik // October 4, 2007 at 1:36 am
Nice perody…
અનિમેષ અંતાણી // October 4, 2007 at 1:56 am
બચાડો નરસૈં મેતો, હવે તો તેની પણ પેરોડી લખાવા મંડી!